
મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડિયા અને હરેશભાઈ બોપલિયા એ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ની આજ રોજ શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં સીરામીક એસોસિયેશન પ્રમુખો તરફથી રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી મળવા બદલ રૂબરૂ મુલાકાત કરી ને સમગ્ર સિરામિક ઉદ્યોગ તરફથી શુભકામનાઓ પાઠવી હતી. સાથો સાથ શ્રમ અને રોજગાર મંત્રાલય ને લગતા વિવિધ પ્રશ્નો ની ચર્ચા ઉંડાણ પુર્વક કરી હતી. તેમજ રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઇ અમૃતિયાએ ખાતરીપૂર્વક જણાવ્યું હતુ કે સિરામિક ઉધોગને લગતા કોઈ પણ પ્રશ્નો આવે તો તત્કાલીન મને જાણ કરો હું તમામ પ્રશ્નો ના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહી ને સકારાત્મક પરિણામ મળે તે દિશા માં પ્રયત્નો કરીશ.



Leave Your Comment Here