મોરબીના યુવા પત્રકાર રવિ સાણંદિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૯ જુલાઈના રોજ જન્મેલા રવિભાઈ સાણંદિયા યુવા વયથી જ પત્રકારત્વના પવિત્ર વ્યવસાય સાથે જોડાયા છે. સ્થાનિક અખબાર અને ટીવી ચેનલથી પત્રકારત્વની કારકિર્દી શરુ કર્યા બાદ આજે રવિભાઈ ગુજરાત ફર્સ્ટ ચેનલ સાથે જોડાઈને પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે. રવિ સાણંદિયા અગાઉ જીએસટીવી ગુજરાતી માં પણ પોતાની પત્રકારત્વ થી લોકોના પ્રશ્નોને વાચા આપી ચુક્યા છે સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે પોતાની ચેનલના માધ્યમથી તેઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય રસ દાખવી રહ્યા છે. છેલ્લા ૧૫ થી વધુ વર્ષોથી પોતાના માધ્યમ દ્વારા મોરબી શહેર અને જીલ્લાની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા રવિભાઈના જન્મદિવસ પ્રસંગે તેમના પત્રકાર મિત્રો, પરિવાર અને સગા સ્નેહીઓ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે ગુજરાત તત્કાલ સંદેશ પણ રવિભાઈ સાણંદિયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના અને અભિનંદન પાઠવ્યા રહું છે
મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે જાગશે ?અકસ્માત થાય ત્યારે તંત્ર અકસ્માત થાય તેની રાહ જોવે તેવો ઘાટ ક્યારે કરશે કાર્યવાહી?
મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકોનો આડેધડ પાર્કિંગ કરીને અડીંગો જમાવી અન્ય નાના વાહન ચાલકો માટે મોતને આમંત્રણ આપવા આડેધડ ટ્રકો પાર્ક કરીને બેફામ બન્યા છે ત્યારે જિલ્લા ટ્રાફીક પોલીસ ટ્રાફીકના નિયમોનુ કયારે પાલન કરાવશે તેવી સ્થાનીક લોકોમાં ચર્ચા જાગી છે કેમ કે અવાર નવાર ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં મોટા અકસ્માત સર્જાયા છે તે સૌ કોઈ જાણે છે જેથી આડેધડ પાર્ક કરનારા ટ્રક ચાલકો સામે મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે લાલ આંખ કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે ટીંબડી ગામ આસપાસ ઉધોગો હોવાથી ટીંબડી ગામ ગામ તરફ જવાનો રસ્તો છે જ્યાં આડેધડ પાર્ક કરીને અડીંગો જમાવી બેઠેલા ટ્રકોના કારણે ટીંબડી ગામ તરફથી આવતા વાહનોને દેખાતું નથી અને હાઈવે ઉપર ચડતા જ ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે ભુતકાળમાં ટીંબડી ગામના પાટીયે પાસે ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં ઘણા બધા બાઈક ચાલકો અને કાર અકસ્માતમાં મોતને ભેટેલા છે જેથી ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બની તંત્ર તમાશબીન બન્યું છે અકસ્માત બાદ તપાસના આદેશ તેવું અહી બને તેની મોરબી જિલ્લા તંત્ર રાહ જોતું હોય તેવું દેખાઈ રહ્યું છે! પરંતુ જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય કોઈ મોતને ભેટે તો જવાબદારી કોની ?તેવી જોરદાર ચર્ચા થઈ રહી છે જેથી મોરબી ટ્રાફીક પોલીસ સફાળુ જાગીને ટીંબડી ગામના પાટીયા પાસે અડીંગો જમાવી આડેધડ પાર્કિંગ કરનાર ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે અને ગામના પાટીયા આસપાસ બંને સાઈડ ગ્રામજનોને હાઈવે ઉપરના વાહનો દેખાઈ તે રીતે ખુલ્લી જગ્યા કરાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે અન્યથા કોઈ અઘટિત ઘટના બને અને લોકોનો ઉગ્ર આક્રોશ સાથે ચક્કાજામ જેવા દેખાવો થાય ગંભીર પરીણામનુ નિર્માણ થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરાઈ તે જરૂરી બન્યું છે કેમ કે ગુજરાતમાં તાજેતરમાં બનેલા ગોઝારી ઘટનાઓ બન્યા બાદ તંત્ર તપાસ અને આદેશો આપતા હોય છે તેવું અહી ન થાય તેમ મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે તંત્ર દ્વારા અકસ્માતની રાહ જોવાઈ રહી છે તેવી તેવી ચર્ચા લોકોમાં ચર્ચાનો વિષય બની છે હાલ તો ગુજરાતમાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા આમ બની ગયું છે તે જગજાહેર છે તાજેતરમાં પુલ તુટવા જેવી ગંભીર ઘટનાઓ બની છે ત્યારે મોરબી જિલ્લામાં પણ તંત્ર જાગે અને અકસ્માતો ન થાય અકસ્માતોમા ઘટાડો થાય તેવી ટ્રાફીક પોલીસે કામગીરી કરવી જોઈએ તેમજ જિલ્લામાં રોડની બંને સાઈડ આડેધડ પાર્કિંગ કરી મોરબી શહેરની આસપાસ ભારેખમ વાહનોને આડેધડ પાર્ક કરીને ટ્રાફીક સર્જતા હોય જેથી કરીને પોલીસ ને પણ ટ્રાફિક ક્લિયર કરવામાં ભારે જહેમત ઉઠાવી પડતી હોય છે ટ્રક ચાલકો નીતિ નિયમ નેવે મૂકીને હાઈવે પર જામ સર્જાતા હોય છે મોરબી શહેર આસપાસના હાઈવે પર ઓવરલોડ ડમ્પર ચાલકોને તો જાણે આરટીઓ કે પોલીસનો ડર જ ન હોય? તેમ આંખ મીંચીને ડ્રાઈવિંગ કરતા હોય તેવો ઘાટ જોવા મળે છે તેની સામે ક્યારે કરાશે કાર્યવાહી કરાશે ?તેવો ધગધગતો સવાલ પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યો છે મોરબી જવું હોય તો મોતને મુઠ્ઠીમાં રાખીને જ જવું તેવો ઘાટ આડેધડ પાર્કિંગ અને માતેલાસાંઢની જેમ હાઈવે પર દોડતા બેફામ ટ્રક ચાલકોથી બચવુ જ નાના વાહન ચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં બનેલી અકસ્માતની ગંભીર ઘટનાઓને ભવિષ્યકાળમાં પણ નોતરશે અકસ્માતને આમંત્રણ આપશે કે પછી તંત્ર કડક કાર્યવાહી કરશે તે આગામી સમય જ બતાવશે
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી સહિત મહાનુભાવો અને જિલ્લાવાસીઓ મળી અંદાજિત ૩૫૦૦ જેટલા લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસથી આ કાર્ય શક્ય બન્યું છે. મોરબી એક એવું સ્થળ છે જ્યાં નાના એવા ભૌગોલિક વિસ્તારમાં ૩ હજારથી વધુ કારખાનાઓ આવેલા છે, જેથી આ જગ્યાએ વન અને વૃક્ષોની જરૂરિયાત સવિશેષ છે. ત્યારે વિશેષ પ્રમાણમાં વૃક્ષારોપણ કરી ઉદ્યોગનગરી મોરબી વૃક્ષનગરી બને તે માટે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, સરકાર, સંસ્થાઓ, ઉદ્યોગો તેમજ લોકો સાથે મળી સહિયારા પ્રયાસ કરે તે જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં વિશેષ પ્રમાણમાં વૃક્ષારોપણ સાથે મોરબી જિલ્લાવાસીઓને હરવા ફરવા માટેનું વિશેષ સ્થળ બને તે માટેના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પને આજે આપણે સાકર કરવા જઈ રહ્યા છીએ. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે તેમણે કાર્યમાં સહભાગી સૌનો આભાર માન્યો હતો તથા અભિનંદન પણ પાઠવ્યા હતા.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, એકસાથે ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરી આપણે સૌ ગુજરાતમાં ઇતિહાસનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પ્રકૃતિ સાથે આનંદ પ્રમોદ કરવા વિશેષ સ્થળનું મોરબીમાં નિર્માણ થવા જઈ રહ્યું છે જે ખૂબ આનંદની વાત છે.
મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ ખાતે ૧૧૦૦ વીઘા જમીન પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સ્થળને પ્રવાસનના સ્થળ તરીકે વિકસાવવા આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર વિવિધ આયોજનો હાથ ધરવામાં આવશે. વધુમાં મોરબી જિલ્લાનો એક પણ રોડ વૃક્ષ વિનાનો ન રહે તે માટે સૌને આહવાહન પણ કર્યું હતું.
ગુજરાત રાજ્યના વન વિભાગના PCCF અને HOFF શ્રી એ.પી. સિંઘએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે એક પેડ મા કે નામ અભિયાનમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે રહ્યું છે. વન વિભાગના જીવન G-૨ મોડેલ હેઠળ મોરબીમાં આ પાંજરાપોળના વિસ્તારને સાંકળી લેવામાં આવશે અને ત્યાં લાંબા આયુષ્ય ધરાવતા દેશી વૃક્ષોનું વાવેતર કરતા આ વિસ્તાર વધુ રળિયામણો બનશે.
આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ બ્રાહ્મણશ્રીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરી આ વિસ્તારને હરિયાળુ બનાવવાના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાંજરાપોળના આ વિસ્તારમાં રાજ્ય સરકાર તથા સદભાવના ટ્રસ્ટના સહયોગથી આમળો, શીરસ, કરંજ, કણજી, ઉમરો, બોરસલી, કંચનાર, બિલ્લી, કટગુંદી, બેહડા, ખેર સહિત સ્થાનિક વૃક્ષો તેમજ વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો મળી ૪૦ થી ૫૦ પ્રજાતિના લાંબુ આયુષ્ય ધરાવતા ૫ થી ૬ ફૂટના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, સુરેન્દ્રનગર સાંસદશ્રી ચંદુભાઈ સિહોરા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત રાજ્ય સામાજિક વનીકરણ PCCF શ્રી આર.કે. સુગુર, મોરબી નાયબ વન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટેલ, અગ્રણીશ્રી પંકજભાઈ મોદી, મોરબી પાંજરાપોળના પ્રમુખશ્રી વેલજીભાઈ ઉઘરેજા, સદભાવના ટ્રસ્ટના અગ્રણીશ્રી વિજયભાઈ ડોબરીયા, સંત મહંત સર્વશ્રી કનકેશ્વરીદેવીજી, શ્રી ભાણદેવજી મહારાજ, શ્રી અમરગીરી બાપુ, જિલ્લાના આગેવાનશ્રીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો, વિદ્યાર્થીઓ, વન વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં આ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા.
મોરબી જીલ્લાના “અકિલા” ના સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રવિણભાઇ વ્યાસ ” દાદા ” નો આજે જન્મદિવસ. ઠેર ઠેર થી અભિનંદન, શુભેચ્છા વર્ષા.
જીવન સફરના 66 વર્ષ પુરા કરી મોરબીના સિનિયર પત્રકાર અને ” દાદા ” ના હુલામણા નામથી જાણીતા પ્રવિણભાઇ વ્યાસ આજે 67 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
આજથી 32 વર્ષ પહેલા પત્રકારત્વ જગતમાં પ્રવેશ કરી મોરબી પંથકના લોકપ્રશ્નો, સમસ્યાઓને નીડરતાથી ઉજાગર કરવાની નૂતન સૌરાષ્ટ્ર પેપરથી શરૂઆત કરી અને પછી તો તબક્કાવાર રાજકોટથી પ્રસિદ્ધ થતા લગભગ તમામ દૈનિક પેપરોમાં સેવાઓ આપી.અને છેલ્લા ત્રણ દાયકાથી “અકિલા” પરિવાર સાથે જોડાયેલા છે.
સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મંડળ, વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી પ્રેસ એસોસીએશન માં વર્ષો સુધી સેવાઓ આપી ચુક્યા છે. અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
અનેક ચડાવ ઉતારની વચ્ચે પણ નીડરતા, પ્રમાણિકતાથી પત્રકાર તરીકે પોતાનો ધર્મ નિભાવનાર ” દાદા ” આજે પણ મોરબી પત્રકાર પરિવારમાં એક આદરભર્યું સ્થાન ધરાવે છે. અને પત્રકારત્વની પીચ પર અણનમ રહી પોતાનો પત્રકાર તરીકેનો ધર્મ નિભાવી રહ્યા છે. રાજકીય વિશ્લેશક તરીકે પણ ટીવી ડિબેટોમાં બેબાક સત્યનો પક્ષ રાખે છે. રાજકીય, સામાજીક, ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ, સગા, સબંધી, મિત્રો, પત્રકારમિત્રો સહિતનાઓ તરફથી આજે તેમના મો.નં. 9825487412 પર અભિનંદન, શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
મોરબી શહેરીજનોની સમસ્યાઓના નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા કટિબધ્ધ; વિસ્તાર મુજબ અધિકારી/કર્મચારીઓના સંપર્ક નંબર જાહેર કરાયા
શહેરી વિસ્તારમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર અને સફાઈના પ્રશ્નો બાબતે નાગરિકો સીધી રજૂઆત કરી શકશે; પ્રશ્નોનું કરાશે ઝડપી અને યોગ્ય નિકાલ
મોરબી જિલ્લા અને શહેરી વિસ્તારમાં ચોમાસાના કારણે લોકોને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તથા તેમના પ્રશ્નોનું તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ અન્વયે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે વહીવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકા કટિબધ્ધ છે. અંડર ગ્રાઉન્ડ ગટર, કુંડીની સફાઈના પ્રશ્નોનું નવા સાધનોથી નિરાકરણ કરવામાં આવશે. ખાલી ચોમાસાની ઋતુમાં ખાડા પૂરવાના કામ તથા પાણી ના નિકાલના કામને પ્રાધાન્ય આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા શહેરના નાગરિકોની સુખાકારી અને સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે સતત પ્રયાસરત છે. શહેરી વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી મૂળભૂત સેવાઓ સંબંધિત સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે, મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસ્તાર મુજબ અધિકારી/કર્મચારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલ શહેરના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચેના સંવાદને વધુ મજબૂત કરશે અને સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવશે. હાલ ચોમાસાની પરિસ્થિતિ અન્વયે મોરબી શહેરી વિસ્તારમાં નાગરિકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓની સુલભતા માટે કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવે તેવા ઉદ્દેશ્ય સાથે શહેરના વિવિધ વિસ્તાર મુજબ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી/કર્મચારીને નિયુક્ત કરવામાં આવ્યા છે અને ફરિયાદ નોંધાવા માટે તેમના સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનો તેમના વિસ્તારમાં રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ તેમજ સફાઈ ના પ્રશ્નો માટે સંબંધિત વિસ્તારના અધિકારી/કર્મચારીનો સંપર્ક કરી શકાશે. બન્ને નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓનો મીટીંગ અથવા બીજી વ્યસ્તતાઓ સિવાય હરહંમેશ કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકાશે. તે સિવાય મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની પણ સોમવાર અને ગુરૂવારે બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ અને ચોમાસા દરમિયાન દરરોજ સાંજે ૦૫ થી ૦૬ દરમિયાન મુલાકાત કરી શકાશે. નાગરિકો દ્વારા મળતા આ પ્રશ્નો બાબતે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નિયત સમયમર્યાદામાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. મહાનગર પાલિકાની ટીમ નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિકાલ માટે કટિબધ્ધ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા અને સંજય સોની અને જિલ્લાના વિવિધ માધ્યમો સાથે જોડાયેલા પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.