મોરબી સિરામિક એસોસિએશન અને પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ, થાનગઢ ની સંયુક્ત બેઠક CSIR-CGCRI, કલકત્તા સાથે યોજાયેલ. જેમાં એસોસિએશનના પ્રતિનિધિઓ અને CSIR-CGCRI ના વરિષ્ટ વૈજ્ઞાનિકો સામેલ થયા હતા. જે બેઠકમાં ડૉ. મોસમી મજુમદેર, ડૉ. ઇન્દ્રનીલ બિસ્વાસ, ડૉ. અંબરીશ સન્યાલ, મુકેશભાઈ દેલવાડીયા, ડૉ. અમિષ જી. જોશી, કિરીટભાઈ મોખાસણા, શ્રી સ્વચ્છા મજુમદાર, પ્રો. બિક્રમજીત બાસુ- ડિરેક્ટર CSIR-CGCRI, અશ્વિનભાઈ મારુ, જીનલ મારુ, હરેશભાઈ બોપાલીયા, ડૉ. પરાગ એમ. સોલંકી, સંદીપભાઈ કુંડારીયા, કેવલભાઈ સાંઘાણી અને જીજ્ઞેશભાઈ કામારિયા ઉપસ્થિત રહ્યા હતા
વિશેષ જણાવવાનુ કે ૧૯૪૦ માં CSIR ( કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ) અને CGCRI ( સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ની સ્થાપના કલકતા ખાતે કરવા માં આવી હતી. જેતે વખતે કલકત્તામાં ખાણ ખનીજ અને ગ્લાસ તથા સિરામિક ઉત્પાદન નુ મુખ્ય મથક હોય કલકતા ખાતે સંસ્થા નો આરંભ કરવામાં આવેલ હતો. હાલ માં આ સંસ્થા માં ચેરમેન ની જવાબદારી દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંભાળી રહ્યા છે. ઉપરાંત સિરામિક ક્લસ્ટર ને મદદરુપ થવા માટે CSIR-CGCRI, નરોડા સેન્ટરની સ્થાપના ૧૯૭૭ માં ગુજરાત ખાતે આસપાસના વિસ્તારોમાં નાના અને મધ્યમ ક્ષેત્રોમાં સિરામિક ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નીચે મુજબ છે સ્થાનિક રીતે ઉપલબ્ધ સિરામિક કાચા માલનું મૂલ્યાંકન અને ઉપયોગ તથા સિરામિક અને સંલગ્ન ઉદ્યોગોને પરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરવી. પરંપરાગત સફેદ માટી ના વાસણોના સિરામિક્સનો વિકાસ કરવો. પ્રાયોજિત સંશોધન અને ટેકનોલોજીનું ટ્રાન્સફર હાથ ધરવું. તદ ઉપરાંત ગુણવત્તા, ઉત્પાદકતા, ખર્ચ ઘટાડા, આયાત અવેજી અને નિકાસ પ્રોત્સાહનમાં સુધારો કરવા માટે સિરામિક ઉદ્યોગોને તકનીકી સહાય કરવી. સિરામિક ઉદ્યોગમાં માનવશક્તિ વિકાસ માટે કર્મચારીઓને તાલીમ આપવી. ઉદ્યોગને સલાહ સેવાઓ પ્રદાન કરવી. ગ્રામીણ માટીકામમાં સુધારો અને ઉત્પાદન શ્રેણીમાં વૈવિધ્યકરણ માટે ટેકનોલોજીનો વિકાસ કરવો. ટાઈલ્સ, સેનિટરી વેર વગેરે જેવા પરંપરાગત સિરામિક ઉત્પાદનોની ગુણવત્તા સુધારણા માટે ટેકનોલોજી વિકાસ કરવો. સામાજિક લાભ માટે પરંપરાગત સિરામિક્સમાં ગ્રામીણ કારીગરો ને તાલિમ આપવી. SME ક્ષેત્રો માટે ઉદ્યોગ ના વિકાસ પ્રવૃત્તિ હાથ ધરવી. પરંપરાગત સિરામિક્સના ઉત્પાદન માટે ઔદ્યોગિક વેસ્ટ કચરા નો ઉપયોગ કરવા તકનીકી સલાહ અને સુચન આપવા. ઊર્જા કાર્યક્ષમ પ્રત્યાવર્તનનો વિકાસ તેમજ પરંપરાગત સિરામિક્સમાં નેનો ટેકનોલોજીના ઉપયોગમાં ભવિષ્યવાદી સંશોધન હાથ ધરવુ. CGCRI નરોડા સેન્ટર ટાઇલ્સ, સેનિટરીવેર, ટેબલવેર, ઇન્સ્યુલેટર, રિફ્રેક્ટરીઝ અને ભઠ્ઠી ના ફર્નિચર અને અન્ય સંલગ્ન ઉદ્યોગો જેમ કે માટી પ્રોસેસિંગ ઉદ્યોગોના ઉત્પાદકોને વ્યવહારુ સલાહ અને ટેકનિકલ મુશ્કેલીનિવારણ, પ્રક્રિયા સુધારણા, અસ્વીકાર નિયંત્રણ, ઉત્પાદન ગુણવત્તા સુધારણા, કચરાના ઉપયોગ અને ઉત્પાદકોના અંતે નવી સુવિધાઓ બનાવવા માટે નિષ્ણાત સેવાઓ પ્રદાન કરવા માટે આ સંસ્થા કાર્યરત છે. વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગ દેશ નુ ૯૦% સિરામિક પ્રોડક્ટ બનાવતુ હોય અને વિશ્વ નુ બીજા નંબર નુ પ્રોડક્શન હબ હોય સિરામિક ઉદ્યોગ માં આ મુજબ ની કોઇ સગવડતા નથી. આ મીટીંગ CGCRI ની પેટા શાખા મોરબી ખાતે સ્થાપવામાં આવે તેવી ભારપૂર્વક ચર્ચા અને રજુઆત કરવા માં આવી હતી. ક્લસ્ટર ને વેગવંતુ બનાવવા માટે અને વૈશ્વિક જરુરીયાત ને પહોંચી વડવા સ્કીલ અને તાલિમ કૌશલ્ય તથા રીસર્ચ અને ટ્રેનીંગ માટે આ મુજબ ની સંસ્થા અનિવાર્ય છે. જ્યારે ઉધોગ વૈશ્વિક લેવલે ચાઇના સાથે બાથભીડતો હોય આ મુજબ ની સંસ્થા ની જરુરીયાત એ સમય ની માંગ છે આ બાબત ની ચર્ચા મીટીંગ માં થઇ હતી. આ ચર્ચા ને અંતે ડીરેક્ટર શ્રી બ્રીક્રમજીત બાસુએ આશ્વાસન આપ્યુ હતુ કે પ્રાઇમરી બેઇઝ પર આવી સંસ્થા મોરબી માં શરુઆત કરવા માટે અમે પ્રયત્નો કરીશુ. મોરબી માં શરૂઆતમાં પ્રાઇમરી બેઇઝ પર લેબ ટેસ્ટ ના સાધનો ફાળવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે તેવી માહિતી આપી હતી. વર્લ્ડ સેકન્ડ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ હબ છે છતા રી સર્ચ ની કોઇ ફેસિલીટી કે ટ્રેનીંગ સેન્ટર નથી. તો અમારી એવી માંગ છે કે વહેલી તકે આ રિસર્ચ સેન્ટર મીરબી માં ચાલુ થાય
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ આઇ.ડી. તથા નંબરથી યુઝર રજીસ્ટર કરી સરકાર તરફથી આઇસગેટ સ્કીમ અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રીપ નંગ – ૨૯ કિં.રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની છેતરપીંડી થયેલ હોય જે ગુન્હાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબીને સોપતા પોલીસ ઇન્સપેકટર દ્વારા અલગ અલગ રાજય ખાતે તપાસ કરી રૂા.૪૧,૮૧,૬૮૦/- ગુન્હાના કામે રીકવરી કરેલ હોય જે રીકવર કરેલ રકમ ફરીયાદીને નામદાર કોર્ટના હુકમ મુજબ આજે “તેરા તુજકો અર્પણ” અંતર્ગત પરત અપાવેલ છે
સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન ના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંકશન નું આયોજન જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી – પાટીદારો ની એકતા માટેના પ્રયાસો ની નોંધ લઈને તેમનુ સન્માન કરવામાં આવ્યું કરમસદ તા.15 જાણીતા પત્રકાર અને સામાજિક ચળવળકાર એવા જિગ્નેશ કાલાવડિયા નું સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે તેમના જન્મસ્થાન કરમસદ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહ માં ગોલ્ડન ગાર્ડ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ્યારે સમગ્ર દેશ ભારતના રાષ્ટ્ર નિર્માતા અને એકતા ના પથ દર્શક પૂર્વ નાયબ વડાપ્રધાન ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મજયંતિ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે કરમસદ ખાતે 15 ડિસેમ્બર ના રોજ તેમની પુણ્યતિથી નિમિત્તે ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન દ્વારા એક ભવ્ય એવોર્ડ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ગણના પાત્ર કામગીરી કરનાર સામાજિક અગ્રણીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સરદાર પટેલ ને આદર્શ માની કાર્યરત 12 થી વધુ રાજ્યોના પ્રખર સામાજિક ચળવળકારો હાજર રહ્યા હતા. ખીચોખીચ ભરેલા કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ ખાતે આયોજકો દ્વારા જિગ્નેશ કાલાવડિયા ના કૂર્મી પાટીદાર સમાજ ને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત કરવાના પ્રયાસો ને ધ્યાનમાં રાખી તેમનું એવોર્ડ દ્વારા વિશિષ્ઠ બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે ધ સરદાર મિશન ના પ્રણેતા ચિરાગ પટેલ દ્વારા જિગ્નેશ કાલાવડિયા ના સામાજિક પ્રદાન ને લોકો વચ્ચે મૂકવામાં આવ્યું હતું. સરદાર સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ઉત્તર પ્રદેશ ના તેજ તરાર કૂર્મી આગેવાન ડૉ. આર. એસ. પટેલ દ્વારા જિગ્નેશ કાલાવડિયા ને મેડલ પહેરાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિગ્નેશ કાલાવડિયા પત્રકારત્વ ના માધ્યમથી લોકોના પ્રાણ પ્રશ્નો ને હંમેશા વાચા આપતા રહ્યા છે ત્યારે તેઓને દેશભરમાં થી પત્રકારત્વ ક્ષેત્ર માં અનેક સુપ્રસિધ્ધ એવોર્ડ અને સન્માન મળી ચૂક્યા છે ત્યારે આજે તેમની સામાજિક સેવા નાં એક અલગ જ પાસા ને ધ્યાનમાં રાખી તેમનું સરદાર પટેલ ના જન્મસ્થાન ખાતે સન્માન કરવામાં આવ્યું છે ત્યારે તેમના વિશાળ મિત્ર વર્તુળ અને શુભેચ્છકો દ્વારા તેમને વિશેષ અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે. જિગ્નેશ કાલાવડિયા કે જેઓ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના ના સ્થાપક અધ્યક્ષ છે તેઓ દ્વારા પાટીદાર સમાજ નાં પ્રાણ પ્રશ્ન વૈવાહિક સમસ્યા પર હાલમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેઓ પટેલ પરિવાર મેગેઝિન ના માધ્યમથી પાટીદાર સમાજ ની એકતા અને વૈચારિક ક્રાંતિ માટે ખાસ પ્રયત્નશીલ છે.
મોરબીના યુવા પત્રકાર પાર્થ ભરતભાઈ રાડિયાનો આજે જન્મદિવસ છે તા. ૧૬-૧૨ ના રોજ જન્મેલા પાર્થ પટેલે ગ્રેજ્યુએશન મોરબીની પી.જી. પટેલ કોમર્સ કોલેજમાં પૂર્ણ કરી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી જર્નાલીઝમનો અભ્યાસ કર્યો છે હાલ તેઓ ગુજરાતની જાણીતી એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના મોરબી જીલ્લાના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા છે મીડિયાના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપનાર પાર્થ પટેલ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજે તેના જન્મદિવસ પ્રસંગે પરિવારજનો, પત્રકાર મિત્રો, રાજકીય અગ્રણીઓ અને ગુજરાત તત્કાલ સંદેશ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે
ડો. સમાબેન સિપાઈ કે જેઓ હાલ પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટ ખાતે રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ તથા ડો અનવર સિપાઈ કે જેઓ હાલ સદભાવના હોસ્પિટલ રાજકોટ ખાતે ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓના પુત્ર ક્યુટ બોય ઇઝાન ના પ્રથમ જન્મદિવસ નિમિતે પ્રથમ વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે પ્રથમ જન્મદિવસ નિમિત્તે ડૉ. સમા બેન સિપાઈ ડૉ.અનવરભાઈ સિપાઈ ના પુત્ર ક્યુટ બોય ના જન્મદિવસની શુભેચ્છા મિત્રો પત્રકારો વકીલ શિક્ષક સહિત પ્રતિષ્ઠ વિવિધ સેવાકીય પ્રવૃતિ ના સંસ્થાના આયોજકો મિત્ર વર્તુળો તે રૂબરૂ કે સોશિયલ મીડિયાના માધ્યમથી whatsapp facebook instagram ના માધ્યમથી ડૉ.અનવરભાઈ સિપાઈના પુત્ર ક્યુટ બોય ઈજાન ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન આશીર્વાદ દુઆ પ્રાર્થના સાથે પાઠવી રહ્યા છે આ પ્રસંગે વાંકાનેરમાં સરકારી હોસ્પિટલ ફરજ બજાવતા ડૉ.જાવેદ ભાઈ મશાક પુત્રા અને તેમના પત્ની સહિત સમગ્ર પરિવાર શુભેચ્છા અભિનંદન પાઠવી છે