ભાવનગર:જમીઅત ઉલમા-એ-હિન્દ તારીખ 14 12 2025 ના રોજ ભાવનગરની નામાંકિત સર ટી. હોસ્પિટલ (Sir T. Hospital) ના સહયોગથી ‘બ્લડ ડોનેશન કેમ્પ’ (રક્તદાન શિબિર) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ, થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને ઈમરજન્સીના સમયે લોહીની અછતને પહોંચી વળવાનો હતો. આ કેમ્પમાં શહેરના નવયુવાનો અને જમીઅત ઉલમા-એ-હિન્દના કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ ૬૫ બોટલ ભાવનગર સર્ટી હોસ્પિટલને સમર્પિત કરવામાં આવી હતી.આ પ્રસંગે જમીઅત ઉલમા-એ-હિન્દ ભાવનગરના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને તેના દ્વારા કોઈકનું અમૂલ્ય જીવન બચાવી શકાય છે.અંતમાં, આયોજકો દ્વારા સર ટી. હોસ્પિટલના સ્ટાફનો સહકાર બદલ અને તમામ રક્તદાતાઓનો માનવતાના આકાર્યમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા આયોજન હાથ ધરાશે
મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પ્રવાસન યાત્રાધામોના વિકાસ કામોની ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા અન્વયે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ યાત્રાધામોના વિકાસ કાર્યો અંગે કલેક્ટરશ્રીએ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પર વિશેષ ભારત આપવામાં આવી રહ્યો છે અને તેના માટે અલાયદી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. મોરબી જિલ્લાને વધુ એક પ્રવાસન સ્થળ મળે તે માટે મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે જે માટે ટૂંક સમયમાં યોગ્ય આયોજન પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના અન્ય કેટલાક પ્રવાસન સ્થળોને પણ વિકસાવવા ત્યાં પાર્કિંગ સ્વચ્છતા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટેની સૂચના સંબંધીત અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ વંન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેરશ્રી દિવ્યેશ બાબરવા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના ગુજરાત ન્યૂઝ, નિર્માણ ન્યુઝ ચેનલના રિપોર્ટર તથા મોરબી ડેઈલી ન્યૂઝ પોર્ટલ વેબ ન્યુઝના ફાઉન્ડર મિલન નાનકનો આજે જન્મદિવસ છે. મૂળ કોયલી ગામના મિલન નાનકે મોરબીની પોતાની કર્મભૂમિ બનાવી છે અને છેલ્લા 35 વર્ષથી મોરબીમાં સ્થાયી થઈને પોતાના પત્રકારત્વમાં જોડાઈ લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. મિતભાષી અને મિલનસાર સ્વભાવ ધરાવતા મિલન નાનક આજે પણ કર્તવ્યનિષ્ઠ પત્રકાર તરીકેની જવાબદારી સુપરે નિભાવી રહ્યા છે. દરેકને પોતાના મિત્રો બનાવી હદયપૂર્વક જોડાઈને પરમ મિત્ર અને સાચા હમદર્દ બનીને ઉમદા મિત્ર ભાવના નિભાવી પણ રહ્યા છે. આજે મિલન નાનકના જન્મદિવસ નિમિતે સામાજીક-રાજકીય આગેવાનો, સગાં-સંબંધીઓ, પરિવારજનો તથા બહોળા મિત્ર વતુળ તરફથી તેમના મોબાઈલ નંબર 8905293381 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
મોરબીમાં વિચરતી વિમુક્ત જાતિનાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર ની આગેવાની માં જીલ્લા કલેકટર એસપી સાથે શુભેચ્છા મુલાકાત કરી વિચરતી વિમુક્ત જાતિ નાં પડતર પ્રશ્નો ની રજૂઆત કરાઈ મોરબીમાં આજરોજ વિચરતી વિમુક્ત જાતિના ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર ની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી અધિક કલેકટર ખાચર સાહેબ જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ ડીવાયએસપી દલવાડી સાહેબ ડીવાયએસપી એસ.એચ.સારડા સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી વિચરતી વિમુક્ત જાતિ ના મોરબી જિલ્લાના પડતર પ્રશ્નો અને વિચરતી વિમુક્ત જાતિ ને લાભ મળવા પાત્ર વિશે ઘટતું કરવા ચર્ચાઓ કરી રજૂઆત કરવામાં આવી હતી આ સમયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર તેમજ વિચરતી વિમુક્ત જાતિ નાં મોરબી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સિરોહીયા ઉપપ્રમુખ વસંતલાલ વ્યાસ સહમંત્રી અજયભાઈ વાઘાણી ગુલાબગીરી નર્સિંગ સરદાર સહિત ટીમે જિલ્લાના ઉચ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી રજૂઆત કરી હતી
મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની મોરબીના યુવા પત્રકાર જનકભાઈ રાજાનો આજે 5 ડીસેમ્બરે જન્મદિવસ તેઓ કચ્છ આમતક દૈનિક ન્યુઝ પેપરમાં મોરબી જીલ્લા બ્યુરો ચીફ તેમજ ન્યુઝ ફોર કાઠિયાવાડમા રિપોર્ટર તરીકે કાર્યરત છે પત્રકારત્વ ક્ષેત્રમાં જનકભાઇ રાજા ઈમાનદારીપુર્વક ફરજ નિભાવી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. તેઓ જાગૃત અને નિડર બની પત્રકારત્વ ક્ષેત્રેમાં નાની ઉંમરે ઉંચી ઉડાન ભરી ખુબ જ લોકપ્રિય બની જાણીતા બન્યા છે.ન્યુઝ લાઇન સીધા સમાચારથી પત્રકારત્વની વર્ષ ૨૦૧૦ થી પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. લોકોના પ્રશ્નો અને પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી મોરબી જિલ્લામાં આમતક ન્યુઝ સોશ્યલ મીડિયા એડીશન શરૂ કર્યું અને લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરી રહ્યા છે સાથે સાથે તેઓ પત્રકાર એકતા પરિષદ, મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ સહિત અનેક સંસ્થાઓમાં જોડાયેલા છે.જનકભાઈ રાજા નાની ઉંમરે મોટું નામ કમાઈ અનેક વખત તેઓને સન્માનિત કરવામાં આવેલ છે તેમના જન્મદિવસે સગાસંબંધી સ્નેહીજનો મિત્ર સર્કલ હિતેચ્છુ દ્વારા વોટસએપ ફેસબુક સહિત સોશિયલ મીડીયામાં નામી અનામી મિત્રોએ તેમના મો. 8320887013 ઉપર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.