

તાજેતરમાં મોરબી સિરામિક એસોસિયેશનના હોદ્દેદારોએ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલા એરપોર્ટમાં ફસાયેલા નાણા ની રિકવરી કરવા અંગે કેન્દ્ર મંત્રી મનસુખ માંડવીયાને સંસદ ભવન દિલ્હી ખાતે રજૂઆત કરી હતી ત્યારે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો ઉદ્યોગકારો ઉપરાંત સાંસદ અને માજી સાંસદ તેઓની સાથે રહ્યા હતા

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપાલિયા તેમજ અન્ય સિરામિક ઉદ્યોગકારો દિલ્હી ખાતે કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયાને એરપોર્ટમાં ફસાયેલા નાણાની રિકવરી કરવા રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે સાંસદ વિનોદ ચાવડા અને માજી સાંસદ મોહનભાઈ કુંડાળિયા રાજેશભાઈ ચુડાસમા તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મોરબીના સીરામીક એસોસિયેશનના પ્રમુખોની રજૂઆતો ને સાંભળીને હકારાત્મક અભિગમ દાખવી ને ભારત સરકાર દ્વારા શક્ય એટલી તમામ મદદ કરવા માટે ખાતરી આપી અને સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી આ ઉપરાંત સિરામિક ઉદ્યોગને અસર કરતા કસ્ટમ તથા એકસાઇઝ વિભાગના પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટર બોરવેલ બાબતે આવેલ નોટિસ અંગે પણ સિરામિક ઉદ્યોગને રાહત મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ખાતરી આપતા જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગને અસર કરતા તમામ પ્રશ્નોનું શક્ય કેટલી વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે
Leave Your Comment Here