
મોરબી શહેર અને જિલ્લા ની પ્રજા ને કેન્દ્ર સરકાર દ્વારા વરસો થી અન્યાય કરવા માં આવી રહ્યો છે
છેલ્લા કેટલાય સમય થી મોરબી ની પ્રજા લાંબા અંતર ની ટ્રેન ની માગણી કરે છે પણ આ બાબત કેન્દ્ સરકાર કોઈ માંગણી સ્વીકારતી નથી અને મોરબી ની પ્રજા ને અન્યાય કરી રહેલ છે તેમાં
મોરબી થીં વાંકાનેર વચે ચાલતી ડેમુ ટ્રેન અવાર નવાર મેન્ટેનશ ન બહાના બતાવી વારવાર બંધ કરી રહેલ છે અને પ્રજા ને હાડમારી ભોગવી પડે છે હાલ રેલવે દ્રારા ઈલેક્ટિક લાઇન ચાલુ થઈ ગયેલ છે તો ડીઝલ એન્જિન ને બદલે ઇલેક્ટ્રિક એન્જિન થી ડેમુ ટ્રેન દોડાવી જોઈએ
આ ડેમુ ટ્રેન મારફત લોકો લાંબા રૂટ ની ટ્રેન તેમજ નોકરિયાત લોકો અપ ડાઉન કરી રહ્યો છે જેના કારણે ડેમો ટ્રેનને મુસાફરો પણ મળી રહે છે તેમ છતાં રેલ્વે અધિકારીઓના મનસ્વી નિર્ણયોથી અવારનવાર ટ્રેન ને બંધ કરી દેવામાં આવે છે મોરબીની પ્રજા પૂછવા માંગે છે કે શા માટે આવો મોરબીની પ્રજા માટે કરવામાં આવે છે હવે પછી ડેમો ટ્રેન બંધ કરવામાં આવશે તો પ્રજાને સાથે રાખી રેલ રોકો આંદોલન કરી રેલવેના અધિકારીઓની સાન ઠેકાણે લાવવામાં આવશે તેમજ વધુમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશભાઇ રબારીએ જણાવ્યું કે આ પ્રશ્રને સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય અને રાજ્યસભાના સભ્ય એ મોન ધારણ કરી લીધું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં માલધારી સેલનાં પૂર્વ પ્રમુખ રમેશભાઇ રબારીએ અખબારી માં યાદી જણાવ્યું છે
Leave Your Comment Here