
(1) પક્ષની અંદર સ્પષ્ટ બે જૂથો દેખાઈ રહ્યા છે
(2) ટિકિટ વિતરણને લઈને ભારે અસંતોષ
(3)કાર્યકરોમાં ગેરસમજ અને અંતર વધી રહ્યું છે
(4) સંગઠનના હોદ્દેદારો અને નેતાઓ વચ્ચે મતભેદ
આ પરિસ્થિતિમાં ભાજપ માટે સૌથી મોટો ખતરો “અપક્ષ ઉમેદવારો” બની રહ્યા છે. ઘણા અસંતોષિત નેતાઓ હવે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે, જે મતવિભાગ કરીને ભાજપના પરંપરાગત મતબેંકમાં ભંગાણ પાડી શકે છે.ચૂંટણી પર સંભાવિત અસર:
અપક્ષ ઉમેદવારો ભાજપના મત કાપી શકે આંતરિક ગૂંચવણથી પ્રચારમાં નબળાઈ વિરોધ પક્ષને મજબૂત થવાનો મોકો પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીમાં અણધાર્યા પરિણામોની શક્યતા
આ આખી પરિસ્થિતિ ભાજપ માટે “અંદરનો શત્રુ” સાબિત થઈ શકે છે. જો સમયસર સમાધાન નહીં થાય, તો મોરબીની પહેલી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને જોરદાર ઝટકો પણ લાગી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ આંતરિક વિખવાદને કેવી રીતે સંભાળે છે અને શું અસંતોષિત નેતાઓને મનાવી શકશે કે પછી અપક્ષ લહેર ભાજપ માટે મુશ્કેલી ઊભી કરશે.


Leave Your Comment Here