
વાંકાનેરમાં તળાવો ભરવા માટે “સૌની યોજના” (3 KM વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે ચાંચડીયા, શેખરડી, રાતડીયા, કાનપર, મહિકા, સરોડી ગામોના તળાવો અને ચેકડેમો ભરવા માટે ડાયા D.I./ HDPE પાઈપલાઈન કનેક્શન દ્વારા પાઈપલાઈન/ સ્કોર વાલ્વ અને તમામ સંલગ્ન કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ તકે જિજ્ઞાસાબેન મેરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ અને કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે “સૌની યોજના”થી મેસરીયા મહાલના ગામોને સિંચાઈ માટે તળાવો ભરવાના કામને મંજુરી મળી છે, જેનાથી ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે.


Leave Your Comment Here